World Social Work Day Dt. 19.3.2024- Session 1

દર વર્ષે માર્ચ મહિનાના ત્રીજા મગળવારે વિશ્વ સમાજકાર્ય દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે પણ તા.૧૯.૩.૨૦૨૪ નાં રોજ વિશ્વ સમાજકાર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ. આજના આ ખાસ દિવસે શ્રી પ્રદીપભાઈ ધાધલ કે જેઓ હાલ ગોકુલ સ્નેક્સ પ્રા.લી.માં એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવે છે. અને તેઓ આજ ભવનના વિદ્યાર્થી હતા, તેમેને બોલાવવામાં આવ્યા હતા. શ્રી પ્રદીપભાઈ ધાધલ નું સ્વાગત ડો.રાજુભાઈ અને શ્રી ચાંદનીબેન  દ્રારા કરવામાં આવેલ હતું. તેઓએ સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓને એચ.આર.નું કાર્ય શું છે અને તેનું હાલના સમયમાં શું મહત્વ રહેલું છે તેનાં વિષે સમજાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવનના અધ્યક્ષશ્રી ડો.રાજુભાઈ દવેએ મહેનત કરી હતી.અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.પ્રીતેશ પોપટે કરેલ હતું. અંતમાં શ્રી ડો.રાજુભાઈ દવે આભાર માની પ્રથમ સેશનની પૂર્ણાહુતી કરેલ હતી. આ કાર્યક્રમમાં ભવનના વિદ્યાર્થીઓ અને હાલ પીએચ.ડી.કરતા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Department of Social Work

19-03-2024